Video wird geladen...

Video konnte nicht geladen werden

Zur Startseite

પાયથાગોરસ એ આ જોયું હોત તો દવા પી લેત 😭

18,658 Aufrufe • vor 1 Jahr •via X (Twitter)

11 Kommentare

Profilbild von taxpayer
taxpayervor 1 Jahr

BC square

Profilbild von Holly Dayle
Holly Daylevor 1 Jahr

Hey guys!! I've been listening to this song lately and thought it would be fun to do a cover of it!! wdyt!? #lovesong #music #Jazz #CoverSong #Singing

Profilbild von Purohit Mahesh - सेकुलरो के पापा
Purohit Mahesh - सेकुलरो के पापाvor 1 Jahr

પ્રેમ પણ પાયથાગોરસનાં પ્રમેયની જેમ પક્ષ અને સાધ્ય આવડી જાય પણ સાબિત કરવામાં ફીણ નીકળી જાય.

Profilbild von Vineet 13🇮🇳
Vineet 13🇮🇳vor 1 Jahr

ઢીનચક પૂજા ની ગુજરાતી બહેન 😂😂

Profilbild von Kanji Ratadiya
Kanji Ratadiyavor 1 Jahr

એતો ભૂલી j ગયા કે એક ખૂણો 90* ફરજિયાત હોય...જે બાપાનું સ્થાન લે...જે બેય વચ્ચે આડો આવે...

Profilbild von Sagar Gohel
Sagar Gohelvor 1 Jahr

જબરું લાયા😂😍

Profilbild von V.P.LIMBA💙
V.P.LIMBA💙vor 1 Jahr

😂😂😂😂😂😂આ સાંભળે છે કોણ

Profilbild von MITESH SOLANKI 🇮🇳
MITESH SOLANKI 🇮🇳vor 1 Jahr

Kaha se aate hai aise log 😂😂

Profilbild von पंड्या निराली हिंदू 🚩
पंड्या निराली हिंदू 🚩vor 1 Jahr

આને કોક રોકો હવે

Profilbild von Akshay Nayak
Akshay Nayakvor 1 Jahr

😂😂😂🤣🤣🤣🤣

Profilbild von Mahesh Panchani 🇮🇳
Mahesh Panchani 🇮🇳vor 1 Jahr

🤣🤣

Ähnliche Videos

🎓 “શિક્ષણના મંદિરમાં માફિયાઓનો રાજ” “ગરીબના સંતાનને શિક્ષક બનાવવાનું સ્વપ્ન... અને શિક્ષણ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ અને સંસ્થાઓના મિલીભગત થી ચાલતો ધંધો!” ગુજરાતનું શિક્ષણ તંત્ર આજે સૌથી મોટો વ્યવસાયિક બજાર બની ગયું છે. “PTC” એટલે શિક્ષણનો પ્રથમ પગથિયો કહેવાતું — આજે એ ભ્રષ્ટાચારના વેપારનું કેન્દ્ર બની ગયું છે. તાજેતરમાં બહાર આવેલા PTC (D.El.Ed) એડમિશન કૌભાંડના પુરાવાઓ ચોંકાવનારા છે. વિદ્યાર્થીઓ પાસેથી ₹2 લાખ સુધીના ડોનેશનની માંગણી કરવામાં આવે છે, “માન્યતા રદ થયેલી” કોલેજોને રાજકીય આશીર્વાદથી રાતોરાત માન્ય મેળવી આપવી, અને યોગ્ય ઉમેદવારોને નિયમના નામે બહાર રાખવા — આ બધું મળીને રાજ્યના શિક્ષણ વિભાગની નૈતિકતા પર પ્રશ્નો ઉભા કરે છે. 🔴 મુદ્દો ૧ : 2 લાખ રૂપિયામાં PTC સીટોનો વેપલો PTC કોલેજોના ટ્રસ્ટીઓ ખુદ વિદ્યાર્થીઓ પાસે એડમિશન માટે રૂપિયા માગતા પુરાવા (વિડિયો) સામે આવ્યા છે. એક ટ્રસ્ટી તો ખુલીને કહે છે — > “એક લાખ તો શિક્ષણ સચિવ મુકેશ કુમાર સુધી પહોંચે છે!” લોકમાન્ય B.Ed. કોલેજના ગૌરાંગ પરમારનું નામ સૌથી વધુ ચર્ચામાં છે — જે માન્યતા રદ થયેલી કોલેજોમાં 50% ભાગીદારીના MOU કરીને તેમને “ચમત્કારિક રીતે” માન્ય બનાવે છે! ❓પ્રશ્ન છે — શું એ શિક્ષણ વિભાગના અધિકારીઓના આશીર્વાદ વગર શક્ય છે? જો નહીં, તો શિક્ષણ મંત્રાલય પોતે આ ગુનામાં સહભાગી નથી ? 🛑પહેલા તો ઉત્તર બુનિયાદી માં ભણ્યા છો એમ કહીને એડમિશન આપ્યું હતું તે કેન્સલ કર્યું, ટ્રસ્ટી એ વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા મેનેજમેન્ટ ક્વોટામાં એડમિશન આપીએ છીએ એટલે #2_લાખ લાંચની માંગણી કરી હતી. શું આ રાજ્યમાં ભ્રષ્ટાચારનું ડિપાર્ટમેન્ટ પણ કદાચ શિક્ષણ વિભાગ જ છે ? “લોકમાન્ય B.Ed. કોલેજ”ના ગૌરાંગ પરમાર હસ્તક ભ્રષ્ટાચાર નો રૂપિયો પહોંચે છે એવો આ ટ્રસ્ટી વર્મા સાહેબનો દાવો છે. - આ તો ખુલ્લેઆમ “#માફિયા_મોડેલ” કહેવાય. લોકમાન્ય B.Ed. કોલેજના આ ધુરંધર જે માન્યતા રદ થયેલી કોલેજમાં 50% ભાગીદારીના MOU કરાવે અને પછી એ કોલેજ ચમત્કારિક રીતે “માન્ય” બની જાય! આ શું છે ? “#એજ્યુકેશન કે #એક્સ્ટોર્શન?” ❓પ્રશ્ન એ છે — આ ગૌરાંગ પરમાર કોણ છે ? કઈ સત્તાથી તે દરેક માન્યતા રદ થયેલી કોલેજમાં જઈને 50% ભાગીદારીના MOU કરાવે છે અને એક રાતમાં કોલેજની માન્યતા પુનઃસ્થાપિત કરાવે છે? 📢 પ્રશ્ન એ પણ છે — આ #ગૌરાંગ_પરમારના હાથમાં શું કોઈ એવી ચાવી છે જે આખા શિક્ષણ વિભાગના દરવાજા ખોલી દે છે ? કયા આશીર્વાદથી એ એક ફાઈલના ટેપાથી સંસ્થાનો ભાગીદાર બની જાય છે ? જો શિક્ષણ વિભાગના વડા (શિક્ષણ સચિવ)ના આશીર્વાદ વગર આ શક્ય હોય તો પછી કદાચ “ગૌરાંગ પરમાર”ના હાથમાં જ આખું વિભાગ હશે! કારણ કે જો શિક્ષણનો ધંધો ચાલે છે તો ગુનાહિત સહભાગી શિક્ષણ વિભાગ છે જ ! ⚫ મુદ્દો ૨ : #ઉત્તર_બુનિયાદી વિદ્યાર્થીઓને એડમિશન રદ — નિયમ કે નિર્મમતા? વિદ્યાર્થીઓના એડમિશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી રાતોરાત નિયમ બદલી દેવાયા. ફી લઈ લીધા પછી એડમિશન રદ કરવાનું — એ તો સીધી ઠગાઈ છે! શું હવે નિયમોનો ઉપયોગ “સાચા”ને દબાવવા અને “ગોઠવાયેલા”ને બચાવવા માટે થાય છે? ⚫ મુદ્દો ૩ : પૂરક પરીક્ષા પાસ કર્યા છતાં એડમિશન નહીં! D.El.Ed 2025-26 માટેની એડમિશન પ્રક્રિયા પૂરક પરીક્ષાઓ બાદ શરૂ થઈ હતી, છતાં વિદ્યાર્થીઓને “જૂના નિયમ”ના નામે નકારી કાઢવામાં આવ્યા. આ નિયમો હવે શિક્ષણ માટે નહીં, પરંતુ સેટિંગ માટેના હથિયાર બની ગયા છે. ⚫ મુદ્દો ૪ : ઓફલાઇન એડમિશન – ગરીબ વાલીઓની લૂંટ જ્યારે આખું રાજ્ય “ડિજિટલ ગુજરાત” બોલે છે, ત્યારે શિક્ષક બનવા માટે એડમિશન પ્રક્રિયા હજુ “ઓફલાઇન” રાખવી એ શંકાસ્પદ છે ! અને સુનિયોજિત કાવતરું CHE આ “ડિજિટલ યુગમાં #મેન્યુઅલ_લૂંટ” છે. આજે શિક્ષણ વિભાગ એક તંત્ર નથી, એ તો એક સુનિયોજિત માર્કેટ સિસ્ટમ બની ગયું છે — > જ્યાં દરેક નિર્ણયનો ભાવ છે, દરેક ઉમેદવાર એક ટાર્ગેટ છે, અને દરેક સીટ એક ડીલ છે. જો આ તંત્રને રોકવામાં આવશે નહીં, તો આવતી પેઢી પાસે #શિક્ષક નહીં, #દલાલો હશે. કક્ષામાં પાઠ નહીં, “રેટ લિસ્ટ” હશે. અને શિક્ષણનું મંદિર નહીં, “એજ્યુકેશન મોલ” ઉભો થશે. --- ⚠️ ખુલ્લી ચેલેન્જ શિક્ષણ મંત્રીને: જો આ દાવાઓ ખોટા છે — તો નિષ્પક્ષ તપાસ કમિટી બેસાડો. જો દાવાઓ સાચા છે — તો આ આખું તંત્ર તોડી નાખો. કારણ કે જ્યારે શિક્ષણનું દેવાલય ભ્રષ્ટાચારથી ભરાઈ જાય, ત્યારે ભગવાન પણ પૂજા સ્વીકારતા નથી. 📢 માંગણી: તમામ PTC કોલેજોના એડમિશન પ્રક્રિયાની તટસ્થ તપાસ ટ્રસ્ટી, મધ્યસ્થો અને વિભાગીય અધિકારીઓ પર ગુનાહિત કાર્યવાહી 📍આ લડત ફક્ત કૌભાંડ વિરુદ્ધ નથી — એ રાષ્ટ્રની આત્માને બચાવવાનો સંઘર્ષ છે. 📍શિક્ષણ વિભાગનો ભ્રષ્ટાચાર હવે ફક્ત “ન્યૂઝ” નથી, એ એક “નેશનલ શેમ” છે. ✍🏻 યુવરાજસિંહ જાડેજા #PTCScam #EducationMafia #FixEducation #StopCorruptionInEducation #GujaratEducationScam

Yuvrajsinh Jadeja

14,255 Aufrufe • vor 10 Monaten

🔔આ દલીલ દરેક નાગરિકે અને પરીક્ષાર્થીઓ ખાસ સાંભળવી જોઈએ, 🔔ગુજરાતની સ્પર્ધામત્ક પરીક્ષાઓની વાસ્તવિકતા શું છે સમજાય જશે. #GPSC: 'સ્વયંભૂ' સત્તા કે લોકશાહીનું મશ્કરાપણું ? 🤔😥 જ્યારે ન્યાયતંત્રના સર્વોચ્ચ આસનેથી “#Autocracy” (એકહથ્થુ શાસન) અને “#Dictatorship” (સરમુખત્યારશાહી) જેવા શબ્દો સંભળાય, ત્યારે સમજવું કે પાણી માથા પરથી વહી ગયું છે. પણ સવાલ એ છે કે, શું 'ગાંધીનગરના આ આધુનિક કિલ્લા' માં બેઠેલા સાહેબોના કાન સુધી આ પડઘો પહોંચતો હશે? કે પછી ત્યાં 'શરમ' નામની ફાઇલ વર્ષોથી પેન્ડિંગ પડી છે? #GPSC ને વિનંતી છે કે સાહેબ, કોર્ટની ટિપ્પણીઓને માત્ર '#ઓર્ડરની_નકલ' ન ગણતા. આ લાખો બેરોજગાર યુવાનોના આક્રોશનો અવાજ છે. જો બંધારણીય સંસ્થાઓ જ 'ડિક્ટેટર' બની જશે, તો લોકશાહીના સ્તંભો પરથી ભરોસો ઉઠી જશે. અમુક તથ્યો જે સમજાવ જેવા છે 👇🏻 🛑બ્લેકલિસ્ટનો ડર કોને ?🤔 #CCE_2024 વખતે જ્યારે માનનીય ન્યાયાધીશ સાહેબે ચોક્કસ એજન્સીઓને #Blacklist કરવાની ટકોર કરી હતી, ત્યારે આશા હતી કે હવે શુદ્ધિકરણ થશે. પણ અહીં તો '#જૈસે_થે' ની સ્થિતિ લાગે છે. #CCE_2026 ના આંગણે ઉભેલા ઉમેદવારો આજે પણ એ જ ફફડાટમાં છે: "શું ફરી એ જ જૂની ભૂલોનું નવું પેકેટ પીરસવામાં આવશે?😥🤔" 📌વિચારવા જેવી વાત: જો કોઈ ખાનગી કંપની આવું કરે તો તેના પર લાખોનો દંડ લાગે, પણ અહીં તો '#સરકારી_છત્રછાયા' છે. વિદ્યાર્થીઓના કરિયર સાથે રમવું એ અહીં 'પ્રોસેસ' નો ભાગ બની ગયો હોય તેવું લાગે છે. 💢હવે જોવાનું એ રહે છે કે CCE 2.0 માં સરકાર પોતાની છબી સુધારે છે કે પછી જેસે થે ની જેમ વર્તે છે.🤔 😥આ કેવું ? ભૂલ તમારી, દંડ અમારો ! 👇🏻 GPSC ની અનોખી વેપારી નીતિ પણ જોવા જેવી છે. દુનિયામાં કદાચ આ પહેલી એવી સંસ્થા હશે જે પોતાની ભૂલ સુધારવા માટે સામેવાળા (વિદ્યાર્થી) પાસેથી ₹100 વસૂલે છે! 📌GPSC પ્રશ્નો સુધારવા માટે વિદ્યાર્થીઓ પાસેથી ₹100 ઉઘરાવે છે. ભૂલ સાબિત થાય તો પણ પૈસા તો ગયા જ હો! અત્યાર સુધીમાં '#ભૂલોનો_વેપાર' માંથી કેટલા કરોડ ભેગા કર્યા એનો હિસાબ કોણ આપશે? 💸🤔 📌ગણિત સાવ સાદું છે: પ્રશ્ન ખોટો કાઢો, વિદ્યાર્થી વાંધો ઉઠાવે એટલે સો-સો રૂપિયા ભેગા કરો. 📌જો ભૂલ સાબિત થાય, તો પણ પૈસા તો 'ગંગાજી' માં પધાર્યા, પાછા મળવાની કોઈ આશા નહીં. 📌વિચાર કરો કે અત્યાર સુધીમાં આ 'ભૂલોના વેપાર' માંથી કેટલું ભંડોળ ભેગું થયું હશે? જો આંકડો બહાર આવે, તો ખબર પડે કે GPSC એ પરીક્ષા લેવાની સંસ્થા છે કે '#ભૂલોનું_પ્રીમિયમ' ઉઘરાવતી કોર્પોરેટ ઓફિસ! 🤕કહેવાય છે કે 'પાડાને વાંકે પખાલીને ડામ', પણ ગુજરાતની ભરતી પ્રક્રિયામાં તો પાડો જ પખાલીને ડામ આપે છે! રાજ્યની સર્વોચ્ચ ગણાતી ભરતી સંસ્થાઓ જે રીતે 'તજજ્ઞો'ના નામે જે ખેલ પાડી રહી છે, તે જોતા લાગે છે કે હવે પરીક્ષા પાસ કરવા કરતાં 'ભૂલ શોધવામાં' પીએચડી (#PhD) કરવી પડશે. 👇🏻દુકાનદાર કે લૂંટારૂ?🤔 વિચારો કે તમે કોઈ મોલમાં જાવ અને ત્યાંથી ખામીવાળી (Defective) વસ્તુ નીકળે, તો શું તમારે એ ખામી બતાવવા માટે દુકાનદારને સામેથી ₹100 આપવા પડે ? દુનિયામાં ક્યાંય આવો "વેપાર" જોયો છે ? પણ સાહેબ, આ તો 'સરકારી મોલ' છે. અહીં પેપર કાઢનાર તજજ્ઞો ભૂલ કરે અને એ ભૂલ સુધારવા માટે ગરીબ વિદ્યાર્થીએ પોતાના ખિસ્સા ખંખેરવા પડે. આને 'પારદર્શિતા' કહેવાય કે 'ઉઘાડી લૂંટ' ? 📌આ કેવા 'તજજ્ઞો'?🤔 ભરતી બોર્ડ ગાઈ-વગાડીને કહે છે કે અમારા પેપર 'Experts' કાઢે છે. તો સવાલ એ છે કે: 👉🏻જો એ એક્સપર્ટ છે, તો ફોરેસ્ટમાં ૧૫૦ પ્રશ્નોની ભૂલ કેમ?🤔 👉🏻CCE માં ૧૦૦ થી વધુ ભૂલોના 'ભડાકા' કેમ?🤔 📌જેમને 'અનુસૂચિ ૮' અને 'અનુસૂચિ ૯' વચ્ચેનો તફાવત ખબર નથી, એ તજજ્ઞ છે કે પછી પિતરાઈ ભાઈ-ભત્રીજાઓ ?🤔 😡સાહેબ, જો ૨૦૦ પ્રશ્નો ભૂલ વગરના કાઢવાની તમારા તજજ્ઞોમાં તાકાત ન હોય, તો ૩૦-૩૦ કરોડના #કોન્ટ્રાક્ટ કઈ ખુશીમાં આપો છો? આ જનતાના ટેક્સના પૈસા છે, કોઈના પપ્પાની જાગીર નથી! 😡ખરેખર તો નિયમ એવો હોવો જોઈએ કે જો ઉમેદવાર પ્રશ્ન ચેલેન્જ કરે, તો એ ખોટો છે એ સાબિત કરવાની જવાબદારી ભરતી બોર્ડની હોવી જોઈએ. જો બોર્ડ સાચું સાબિત ન કરી શકે, તો ઉમેદવારને માનસિક ત્રાસનું '#વળતર' મળવું જોઈએ. 🛑હવે તો હાઈકોર્ટે પણ કહી દીધું કે આ "Autocracy" છે. જ્યારે તલવારની ધાર જેવી પરીક્ષામાં પ્રશ્નોના પાયા જ કાચા હોય, ત્યારે ન્યાય માટે કોર્ટના પગથિયાં ઘસવા સિવાય વિદ્યાર્થી પાસે કોઈ વિકલ્પ રહેતો નથી. 🙏🏻ભરતી બોર્ડને નમ્ર વિનંતી🙏🏻 તમારા તજજ્ઞોને દંડ કરો, એજન્સીઓને બ્લેકલિસ્ટ કરો અને વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાણા કરવાનું બંધ કરો. યાદ રાખજો, જે વ્યવસ્થામાં 'સત્ય' માટે કિંમત ચૂકવવી પડતી હોય, ત્યાં 'ન્યાય' માત્ર દેખાડો બનીને રહી જાય છે. #ભૂલ_બોર્ડની_દંડ_વિદ્યાર્થીનો #GPSC_Dictatorship #તજજ્ઞો_કે_તકવાદીઓ ? #GPSC #JusticeForStudents #CCE @GPSCOfficial CMO Gujarat Bhupendra Patel

Yuvrajsinh Jadeja

17,379 Aufrufe • vor 5 Monaten