ગાંધીનગરમાં સાહેબ આવે છે...😄

Yuvrajsinh Jadeja
31,043 Aufrufe • vor 1 Jahr
શિક્ષક દિવસે આવા વિડિઓ આવે …ત્યારે કોને કહેવું …આતો... એમનો હક માગે છેshow more

Janak sutariya
14,501 Aufrufe • vor 2 Jahren
સાહેબ એક વાર નહીં ૨,૨ વાર બોલે છે કેટેગરી... વાઇસ ૭ ગણા ઉમેદવાર બોલાવવામાં આવશે .. તો પછી કેમ જગ્યાના ૭ ગણા બોલાવવામાં આવ્યા ?? અમારી એજ માંગ છે તમે બોલ્યા છો તે જ માગી રહ્યા છે ઉમેદવારો .. 🙏🏼 ૧) મેરીટ કેટેગરી વાઇસ ૭ ગણા એટલે કે GPSC ના ધારાધોરણ મુજબ બનાવવામાં આવે. ૨) હવે પછીની બધી પરીક્ષાઓ ઓફ્લાઈન માધ્યમથી લેવામાં આવે. #CCE_result_according_GPSC #CCEઉમેદવારો #CCE CMO Gujarat Bhupendra Patel PMO India Narendra Modi હસમુખ પટેલ Yuvrajsinh Jadeja Gujarat_yuvadhan Dinesh Bambhania KV Ambani VTV Gujarati News and Beyond Shakuntala Rathva Harsh Sanghavi Hiren Jamawat Zee 24 Kalak Nidhi patel Rohit mali🇮🇳show more

Prayag Upadhyay
10,551 Aufrufe • vor 1 Jahr
થોડા દિવસ પહેલા એક RTO ઓફિસર દ્વારા એક ટ્રક... ચાલકને ઢોર માર મરાતો હોવાનો વિડીઓ તમે જોયો જ હશે, એ ઘટના બાદ તેઓને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. હોસ્પિટલથી ટ્રક ડ્રાઈવરનું નિવેદન પણ તમે સૌએ સાંભળ્યું હશે. નીચેની ટ્વીટમાં એ પણ મળી જશે. હવે અહીંથી ઘટનાક્રમ એ થયો કે... ત્યાંથી તેઓ પોતાના વતન હરિયાણા છારોડા (હરિયાણા) જવા માટે નીકળે છે, 3 ગાડીઓ (સ્કોર્પીઓ, ક્રેટા, બોલેરો) દ્વારા તેમના ટ્રકનો પીછો કરવામાં આવે છે. ટ્રક ડ્રાઈવરના કહેવા પ્રમાણે ગુજરાત બોર્ડરથી 5-10 કિલોમીટર પહેલા રાતે લગભગ 10 વાગે તેઓને આ ત્રણ ગાડીઓ દ્વારા રોકવામાં આવે છે. અંદરથી 10-15 માણસો નીકળે છે જેમાં એક પેલા RTO ઓફીસર પણ હતા. ટ્રક ડ્રાઈવરને ટ્રકથી ખેંચીને ધાક-ધમકી આપવામાં આવે છે. અને એક વિડીઓ નિવેદન આપવાનું કહેવામાં આવે છે. આ નિવેદનમાં તેઓ ટ્રક ડ્રાઈવર પાસેથી બોલાવડાવે છે કે “મને મારવામાં નહોતો આવ્યો અને પ્રેમથી સમજાવવામાં આવ્યો હતો. સાથે મારો વાંક હતો કે સાહેબે મને રોક્યો પણ હું ઉભો ન રહ્યો..” (વિડીઓ 1 - ધાક ધમકી આપીને બદલાવેલું નિવેદન) હવે ટ્રક ડ્રાઈવર ત્યાંથી પોતાના ટ્રક સાથે હરિયાણા પોતાના ઘરે જવા નીકળે છે. બીજા દિવસે સવારે પોતાના પરિવાર સાથે ચર્ચા કરીને નવો વિડીઓ બનાવે છે જેમાં એ આગલા દિવસે રાતે એની સાથે જે નિવેદન બદલાવવા વાળી ઘટના થઇ એનો પણ ઉલ્લેખ કરે છે અને ન્યાયની માંગણી કરે છે. (વિડીઓ 2 – અન્યાય થયાની ફરિયાદ સાથેનું બીજા દિવસનું નિવેદન) એના 2 દિવસ પછી તેઓ દાહોદના પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ FIR નોંધાવવા માટે હરીયાણાથી આવે છે. પોલીસ સ્ટેશન તરફથી અરજી લેવામાં આવે છે. અને કહેવામાં આવે છે કે 2-4 દિવસમાં તપાસ કરીને FIR નોંધશું.. તમે હવે જઈ શકો છો... બસ વાર્તા અહીંથી અટકી છે... હવે આગળ ખબર પડે તો કહીશ બાકી અહીં પૂર્ણવિરામ સમજી લેજો.. #Gujarat PMO Indiashow more

Sagar Patoliya
18,590 Aufrufe • vor 1 Jahr
ગાંધીનગરમાં infocity થી ચ-0 બાજુ પુલ નીચેથી જતા sec... 2ના વળાંક પર dada-dadi પાણીપૂરી વેચે છે. આંખના operation માં દાદા એ આંખોની રોશની ખોઈ છે. જેથી બંને ગુજરાન માટે કરે છે. પાણીપૂરી સ્વાદિષ્ટ સાત્વિક અને સ્વચ્છ હતી. એક વાર ત્યાં પાણીપૂરી ખાઈને સહયોગ આપશો.show more

PI Ravi Prajapati 🇮🇳
28,956 Aufrufe • vor 3 Jahren
શ્રી જગન્નાથ રથયાત્રા સનાતન સંસ્કૃતિનો પવિત્ર ઉત્સવ છે, જેને... દેશના દરેક ખૂણે ભક્તો દ્વારા ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. ગુજરાત પણ મહાપ્રભુના આ પર્વની ભારે ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યું છે. મહાપ્રભુ જગન્નાથજીને દરેકના સુખી અને સ્વસ્થ જીવન, સમૃદ્ધિ અને ઉન્નતિ માટે પ્રાર્થના કરું છું.show more

Amit Shah
535,499 Aufrufe • vor 1 Jahr
પોલીસ યુનિફોર્મમાં હોય, માથા પર સરકારી કેપ ધારણ કરી... હોય ત્યારે ધૂણે એ જરા પણ ઇચ્છવા યોગ્ય નથી. આવી માનસિકતા વાળા પોલીસને સારવાર આપવી જોઈએ, કેમકે તેમને ઓટોમેટિક હથિયાર આપવામાં આવે છે. ધૂણવું એ ધાર્મિક નહીં, માનસિક સમસ્યા છે !show more

Dhaval Patel
25,194 Aufrufe • vor 2 Jahren
જય જગન્નાથ! સૌને શ્રી જગન્નાથ રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ. વિશ્વપ્રસિદ્ધ... જગન્નાથ રથયાત્રા અતૂટ આસ્થા, વિશ્વાસ અને ભક્તિનું પ્રતીક છે. આ પવિત્ર રથયાત્રા ગુજરાતમાં પણ દર વર્ષે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. મહાપ્રભુ જગન્નાથજીને સૌના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરું છું.show more

Amit Shah
1,448,193 Aufrufe • vor 14 Tagen
લાંબા સમયથી પોતાની પડતર માંગણીઓને લઈને સરકારી #ઈજનેરો_આક્રમક અને... લડી લેવાના મૂડમાં.. ઇજનેરો પોહ્ચ્યાં #સચિવાલય પોતાની માંગણીઓ લઈને. 💥👇મુખ્ય માંગણીઓ 👇💥 📌ઇજનેરોની નિશ્ચિત કચેરી કાર્યપધ્ધતિ (SOP) નક્કી કરવી. 📌કામના ચોક્કસ કલાકો ફરજિયાતપણે નિયત કરવા. 📌વિભાગના બજેટમાં છેલ્લા ૫ વર્ષમાં ૧૫૪% નો વધારો થયો છે જ્યારે વિભાગનું મહેકમ છેલ્લા ઘણા વર્ષોથી યથાસ્થિતિમાં છે તેમજ સરેરાશ ૫૯% જેટલી જગ્યાઓ હાલમાં પણ ખાલી બોલે છે. જે ખાલી જગ્યાઓ બાબતે માન. મુખ્યમંત્રીશ્રીએ ગત સાલ વિધાનસભાના સત્રમાં પણ ઓન રેકર્ડ ઉલ્લેખ કરેલો. તે તાત્કાલિક અસરથી ભરવામાં આવે અને વધારાના સોંપેલ હવાલાઓનું નિરાકરણ કરવામાં આવે. 📌ફરજમોકૂફીના કિસ્સામાં ફક્ત સમાચાર માધ્યમો કે ઉપરી અધિકારીઓના અહેવાલ માત્ર જ ધ્યાને ન લેતાં ઇજનેરોની પણ રજૂઆત ખાસ સાંભળવામાં આવે. ☝️💥ખુબ જ઼ સંવેદનશીલ મુદ્દાઓ, ઉપરોકત્ત તમામ મુદ્દાઓનું હકારાત્મક નિવારણ આવવું જોઈએ એવો અમારો સ્પષ્ટ મત છે. Kanu Desai CMO Gujaratshow more

Yuvrajsinh Jadeja
21,311 Aufrufe • vor 2 Jahren
વિષય ખૂબ ગંભીર છે ! તમારા ઘરમાં કોઈ બીમાર... પડ્યું હોય અને ડૉક્ટર કહે કે એમને પ્લાઝમા ચઢાવવું જરૂરી છે….તો એક વાર ચેક કરજો લોહીથી અલગ થયેલું પ્લાઝમા અસલી છે કે નકલી ? ઠગો પૈસા કમાવવા હવે લોહીનો વેપાર કરવા લાગ્યા છે. અમદાવાદમાં રહેતો દિનેશ ચૌધરી એક ફાર્મા કંપનીમાં પ્લાઝમા કલેક્શન કરતો હતો..એને પ્લાઝમાનું જ્ઞાન હતું. દિનેશે પ્લાઝમા ટ્રાન્સપોર્ટ કરતાં લોકો સાથે સંપર્ક કર્યો. આખા દેશમાં પ્લાઝમા પહોચાડતા ટ્રકના ડ્રાઇવર સાથે કનેક્શન સેટ કર્યા. પ્લાઝમાની પ્રોસેસ વિશે દિનેશ ચૌધરીને અંદાજ હતો એટલે દેશભરમાંથી આવતા બ્લડ પ્લાઝમા કાઢી લેતો અને પાણી અને સોલ્વંટવાળા મિક્સ્ચરને પ્લાઝમાનું નામ આપી દેતો. અસલી પ્લાઝમાની બેગ્સ સાથે નકલી પ્લાઝમાની બેગ્સ મિક્સ કરવામાં આવતી અને આ બધા નકલી પ્લાઝમા દેશભરની હોસ્પિટલ્સમાં પહોંચતા.. બીજી તરફ મહારાષ્ટ્રનો મનોજ ગાયકવાડ પણ બ્લડ બેંકમાં કામ કરતો હતો.. પ્લાઝમાના સંદર્ભમાં બંનેની ઓળખાણ થઈ હતી.મનોજ પ્લાઝમા અલગ અલગ હોસ્પિટલ્સ સુધી પહોંચાડતો હતો. જોકે તૈયાર થયેલા પ્લાઝમા માત્ર નકલી નહોતા એ કોઈના જીવન સાથે કરવામાં આવી રહેલા મોટા ચેડાં હતા.. એક સમયે વિચારો કે આ નકલી પ્લાઝમા જે તે દર્દીઓને ચઢ્યા હશે એમની શું હાલત થઈ હશે ! અમદાવાદ ગ્રામ્ય પોલીસ દિનેશ ચૌધરીને પકડ્યો છે અને એ જગ્યા પણ કબજે કરી છે જ્યાં બેસીને તે નકલી પ્લાઝમા બનાવટો હતો. પ્લાઝામા શું છે ? બ્લડ પ્લાઝ્મા એ બીજું કંઈ નહીં પરંતુ લોહીનો આછા પીળા રંગનું એક પ્રવાહી છે જે શરીરમાં કુલ લોહીના લગભગ ૫૫% હિસ્સો ધરાવે છે. આ પ્લાઝમામાં ૯૨% પાણી અને ૮% પ્રોટીન, ગ્લુકોઝ અને મિનરલ્સ જેવા આવશ્યક તત્વો હોય છે. આમ તો તે લિવરમાં કુદરતી રીતે જ બને છે અને તેને લેબોરેટરીમાં અલગ કરવામાં આવે છે. પ્લાઝમાનો ઉપયોગ શું ? કોઈ દાઝ્યું હોય કે અકસ્માત સમયે ખૂબ લોહી વહ્યું હોય તો એનું પ્રમાણ જાળવવા માટે પ્લાઝમા ચઢાવવામાં આવે. હીમોફીલિયા જેને લોહી ના ગંઠાવાની બીમારી કહે છે એની દવાઓ બનાવવામાં પ્લાઝમાનો ઉપયોગ થાય છે. કોરોનો સમયે સાજા થયેલા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા એનો ઉપયોગ થતો. ચામડી સંબંધિત રોગોના ઈલાજ માટે પ્લાઝમાની ઇન્જેક્શન આપવામાં આવે છે. વિચારો નકલી પ્લાઝમા તમને આપવામાં આવે તો શું હાલત થાય ? નકલી પ્લાઝમા કોને કોને અપાયો એની તપાસ ચાલી રહી છે. Harsh Sanghavi | DGP Gujarat | Ahmedabad Rural Police |show more

Janak Dave
14,252 Aufrufe • vor 1 Monat
અમદાવાદ શહેરમાં ટ્રાફિક કંટ્રોલ દ્વારા ટો કરવામાં આવતા વાહનો... ક્રેનમાં ઓવરલોડ ટો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે રસ્તામાં અન્ય લોકોને નુકસાન થઈ રહ્યું છે. વાહનચાલકોનો જીવ જોખમમાં મુકાઇ રહ્યા હોય. ઓવરલોડિંગ ક્રેન્સ પર સ્ટ્રકચરની બહાર 1 થી 1.5 મીટર લટકતા ટુ-વ્હીલરનું વહન કરવું એ જીવલેણ અકસ્માતોને આમંત્રણ છે. આ સંદર્ભે મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel તેમજ Harsh Sanghavi ગૃહ મંત્રીશ્રીને લેખિત રજૂઆત કરેલ છે તેનો યોગ્ય નિકાલ આવે એવી અપેક્ષા સહ.. આભાર, જય હિન્દ...show more

Adv Mehul Boghara
18,808 Aufrufe • vor 2 Jahren
આ ચેનલ ફરિયાદી બની શકે. તથ્ય નું સાચુ તથ્ય... ધીરે ધીરે પોત પ્રકાશ્યું. હલ્કા ને કોણ બચાવે છે. વ્યસન ખોર. ડ્રગ્સ નો નશો કરીને કાર ચલાવી હતી. એ રીપોર્ટ તો તાત્કાલિક ક્યાંથી આવે.😐show more

Vina Raval Rajput
22,273 Aufrufe • vor 3 Jahren
માયાભાઈની 'ડાયરી' માંથી એક વેધક સવાલ! લોકસાહિત્યના ડાયરામાં તો... નિયમો અને સંસ્કારોની મોટી મોટી વાતો થાય છે, પણ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં તો કંઈક જુદો જ 'ડાયરો' જોવા મળ્યો! કલાકાર માયાભાઈ આહીરના સુપુત્ર જયરાજ આહીર આખો કેમેરો લઈને મુખ્ય પરિસરમાં બિન્દાસ વીડિયો શૂટ કરે છે. હવે જાહેર જનતા વતી વહીવટી તંત્રને બે જ સવાલ : આ પરવાનગી કોણે આપી ?? અને કેમ આપી ?? સામાન્ય માણસ ફોન ભૂલી જાય તો દંડ ફટકારવામાં આવે છે ,, અને વીઆઈપીના દીકરા માટે લાલ જાજમ ?? ધન્ય છે આ વ્યવસ્થાને!show more

RINI
35,734 Aufrufe • vor 19 Tagen
📱કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતીના ગોટાળાને લઈને સોશિયલ મીડિયામાં... અનેક #વીડિયો વિદ્યાર્થીઓ દ્વારા વાયરલ.📱 👆🏻કૃષિ યુનિવર્સિટી #જુનિયર_ક્લાર્ક ભરતી ગોટાળો – સત્તાધીશોનું ભેદી મૌન, ખાનગી એજન્સી ને બચાવવાનો એજન્ડા ?👇🏻 ⚫ક્યારેક લાગે છે કે ગુજરાતની ભરતી પ્રક્રિયા કોઈ પરિક્ષા નહિ પણ પરિક્ષણ છે – વિદ્યાર્થીની સહનશક્તિનું પરિક્ષણ, તેમની હિંમતનું પરિક્ષણ અને ક્યારેક તો તેમની મૂર્ખ બનાવી શકવાની ક્ષમતાનું પણ પરિક્ષણ! ⚫તાજેતરમાં કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષામાં થયેલી ગડબડીનાં વીડિયો સોશિયલ મીડિયામાં ધડાધડ વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ઉમેદવારો સત્તાવાર સમય પૂરો થયા પછી પણ આરામથી પેપર લખી રહ્યા છે, અન્ય થયેલી બેદરકારી/ અણઆવડત સામે આવી રહી છે પરંતુ યુનિવર્સિટીનો પ્રતિભાવ ? — “મૌન”. હા, એક એવું મૌન જે સત્યને દટાવવાની કળા શીખવે છે. 🧑🏻🏫વિદ્યાર્થીઓ સવાલ પૂછે છે: ❓“આ ગડબડી કેમ?” ❓“કઈ એજન્સી જવાબદાર છે?” ❓“શું પરીક્ષા દરમિયાન આટલું બધું બનતું રહે અને અધિકારીઓને ખબર ન પડે ?” 📍પ્રશ્નપત્ર લીક થાય તો એજન્સી નિર્દોષ. 📍સમયની ગડબડ થાય તો એજન્સી નિર્દોષ. 📍ઉમેદવારોને અયોગ્ય લાભ મળે તો પણ એજન્સી નિર્દોષ. લાગે છે જાણે એજન્સીઓ પાસે કોઈ “#દિવ્ય_છત્ર” છે – જેના નીચે ભ્રષ્ટાચાર પણ ધૂળ ખાઈ જાય. 📌સરકાર અને યુનિવર્સિટીઓ વારંવાર વિદ્યાર્થીઓને કહે છે: “મહેનત કરો, ઈમાનદારીથી આગળ વધો.” પણ વિદ્યાર્થીઓને તો શીખવાડવું જોઈએ – 👉 “ભાઈ, ઈમાનદારીથી નહિ… એજન્સીથી જ આગળ વધાય છે.” 🛑વિદ્યાર્થીની આંખો સૂજેલી રહે છે રાતભર અભ્યાસ કરીને, પણ અધિકારીની આંખો ચમકતી રહે છે “કયા કયા કવર આવી પહોંચ્યા છે?” તે ગણીને. પણ અધિકારીઓનાં કાન સુધી આ સવાલો પહોચે છે કે નહીં તે હજી પણ રહસ્ય છે. કદાચ કાન બંધ છે, કદાચ આંખો મીંચાઈ ગઈ છે, કદાચ એજન્સીઓને બચાવવાનો એજન્ડો છે. 🛑સરકાર તથા યુનિવર્સિટીઓએ ખાનગી એજન્સીઓને કામ સોંપી દીધું છે, જાણે તેઓ “ભ્રષ્ટાચારનાં માન્ય એન્જિનિયર” હોય. દરેક ગોટાળામાં એજન્સીઓનાં નામ ચમકે, પરંતુ અંતે બચી જાય છે કેમ કે નેતાઓની એની ઉપર છત્રછાયા છે. સરકાર વિદ્યાર્થીઓને નૈતિકતા, ઈમાનદારી અને મહેનતનાં પાઠ ભણાવે છે. પરંતુ જ્યારે ભરતીની વાત આવે ત્યારે એજન્સીઓ અને અધિકારીઓના “#ગુપ્ત_પાઠ” કામ આવે છે. 🚫વિદ્યાર્થીઓની મહેનત, માતાપિતાની આશા, વર્ષોનું ભણતર – બધું મળી એક રાજકીય નાટકનું “પ્રોપ” બની જાય છે. પરીક્ષા માટે રાત દિવસ જાગેલા વિદ્યાર્થીઓનો પરિશ્રમ ચહેરા પર લાલચમકતા સ્મિત સાથે અધિકારીઓ સહજતાથી બલી ચઢાવી દે છે. 🚫જો આજે પણ યુનિવર્સિટીનું મૌન તૂટશે નહીં, તો આ મૌન ભવિષ્યમાં મોટી ગર્જના બનશે. વિદ્યાર્થીઓ હવે પ્રશ્ન પૂછવા જાગી રહ્યા છે. અને જો આ મૌન યથાવત રહેશે તો સમાજના દરેક ખૂણે એક જ અવાજ ગુંજશે – “આ પરીક્ષા નથી, આ છે ભ્રષ્ટાચારની પ્રેક્ટિકલ ક્લાસ!” #કૃષિયુનિવર્સિટી #ભરતીગોટાળો #અપારદર્શિતા #PrivateAgencyScam #FraudByAgency #AgencyUnderScrutiny #BehindTheAgencyshow more

Yuvrajsinh Jadeja
23,400 Aufrufe • vor 10 Monaten
ગુજરાત સરકારે આ વિડિઓ જોવા જોઈએ અને વિચારવું જોઈએ... કે આની જગાએ તમારો દીકરો કે દીકરી પરીક્ષા આપતો હોય તો.. 🙏🏻🙏🏻 ગુજરાતનો યુવાન દેશની સેવા કરવા તત્પર છે, પરંતુ એમને ઓછામાં ઓછું ન્યાયપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ તો મળવું જ જોઈએ.🙏🏻🙏🏻 📢 ઉમેદવારોની વ્યથા – “અમારો પસીનો, અમારું ભવિષ્ય અને હવે અમારી જિંદગી જોખમમાં!” 📌હાલમાં #SSC_GD ની રનિંગ ટેસ્ટ ગાંધીનગરના #BSF કેમ્પ (#ચિલોડા) ખાતે લેવામાં આવી રહી છે. પરંતુ જ્યાં દોડ કરાવવી એ ગ્રાઉન્ડની હાલત એટલી ગંભીર કાદવ કીચડ વાળી છે કે એ પરિસ્થિતિને જોઈને કોઈને પણ દયા આવી જાય. 👉 સમગ્ર ટ્રેક જોખમ થી ભરેલો છે, જમીન અસમાન છે, જગ્યાએ જગ્યાએ કાદવ અને કીચડ ભરાઈ ગયો છે. 👉 ઉમેદવારોને અહીં દોડવા મજબૂર કરવામાં આવે છે – પરિણામે દરેક પગલે ચોટ લાગવાનો, પગ સરકી જવાનો કે ગંભીર અકસ્માત થવાનો ખતરો ઊભો થાય છે. 🏮SSC GD 2025 ની લેખિત પરીક્ષા ફેબ્રુઆરીમાં યોજાઈ હતી અને તેનો પરિણામ એક મહિના પહેલાં જાહેર થયો.આ પરિણામ બાદ લગભગ 8 ગણાં ઉમેદવારોને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા છે. 👉 20 ઓગસ્ટ 2025થી ગાંધીનગર BSF કેમ્પ (ચિલોડા) ખાતે ફિઝિકલ શરૂ થયું છે. રોજ આશરે 1500 ઉમેદવારોને બોલાવવામાં આવે છે. 💢ફિઝિકલ ટેસ્ટની શરતો: 📌24 મિનિટમાં 5 કિમી દોડ પૂર્ણ કરવી ફરજિયાત છે. 📌પાસ થવાથી ઉમેદવારનું આગળનું સપનું સાકાર થઈ શકે છે. 👉🏻પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે – 👉🏻ટ્રેક ખૂબ જ ખરાબ હાલતમાં છે. 👉🏻કાદવ, ગડ્ડા, અસમાન સપાટી – દરેક પગલે જોખમ. 👉🏻પરિણામે અનેક ઉમેદવારો પોતાની અસલી ક્ષમતા હોવા છતાં માત્ર ખરાબ ટ્રેકને કારણે ફેલ થઈ રહ્યા છે. 👉 એટલે મહેનતુ અને લાયક ઉમેદવાર પણ બલી ચઢી જાય છે, માત્ર બેદરકાર વ્યવસ્થાના કારણે. ❓ સવાલ એ છે: ⚡શું ઉમેદવારોની મહેનત, જીવન અને ભવિષ્ય એટલું સસ્તુ છે? ⚡શું ઉમેદવારોએ દેશ માટે જીવ અર્પવા પહેલાં જ પોતાની જાન જોખમમાં મૂકવી પડે? ⚡હજારો પરિવારોના સપના તંત્રની બેદરકારીના કારણે તૂટી જશે તો જવાબદાર કોણ? ⚡દેશની સીમા પર જવાનો બનવા અમે રાત-દિવસ પસીનો વહાવ્યો છે, તો શું ઉમેદવાર જિંદગી એટલી સસ્તી છે ? ⚡શું સરકાર અને તંત્રને એ વાત સમજાતી નથી કે આવા જોખમી ગ્રાઉન્ડમાં દોડાવવાથી ઉમેદવારનું ભવિષ્ય બગડે છે, સાથે જ તેમના પરિવાર પર આઘાત પડે છે ? 📢 અમારી માંગણી: 1. BSF ગાંધીનગર (ચિલોડા) કેમ્પના ગ્રાઉન્ડને તાત્કાલિક સુધારવામાં આવે. 2. પરીક્ષા / રનિંગ માટે સુરક્ષિત અને યોગ્ય ટ્રેકની વ્યવસ્થા કરવામાં આવે. 3. ઉમેદવારોને ન્યાય મળે, કારણ કે ઉમેદવારોની મહેનત, પસીનો અને જીવન – બધું જ દેશ માટે છે. 4. ફિઝિકલ દરમિયાન થતા અન્યાયને અટકાવવા પારદર્શક વ્યવસ્થા કરો. 🛑📌અમે અવસર માટે લડી રહ્યા છીએ, પરંતુ અમને ઓછામાં ઓછું સુરક્ષિત વાતાવરણ તો મળવું જ જોઈએ. તે બેદરકારીના કારણે ઉમેદવારોની મહેનત વ્યર્થ ન જવી જોઈએ. વિદ્યાર્થીઓ અનેક વખત રજૂઆત કરી ચુક્યા છે, પરંતુ કોઈ સાંભળતું નથી. 👉 સરકાર, તંત્ર અને જવાબદાર અધિકારીઓને આ પોકાર સાંભળે – “ઉમેદવારોની મહેનત પણ કિંમતી છે અને એમની જિંદગી પણ કિંમતી છે, બસ તે યોગ્ય અવસરની માંગણી કરી રહ્યા છે.” 🙏🏻🙏🏻યુવાન દેશની સેવા કરવા તત્પર છે, પરંતુ એમને ઓછામાં ઓછું ન્યાયપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ તો મળવું જ જોઈએ.🙏🏻🙏🏻 #BSFGandhinagarGroundSudharo #SSCGD #CandidateSafety #JusticeForSSCGD #GUJARAT SSC News गृहमंत्री कार्यालय, HMO India BSF 🇮🇳CRPF🇮🇳 ITBP CISF Shnaggys Condom Dhirendra Ojha @DGP_Gujarat CMO Gujarat Ministry of Education Bhupendra Patel Dr. Kuber Dindor Rushikesh Patel VTV Gujarati News and Beyond Tv9 Gujarati ABP Asmita GSTV Sandesh News18Gujarati Zee 24 Kalak Devanshi Joshi Jamawat Nidhi patel Janak sutariya Jayesh cHauHaN Hiren Chaitar Vasava AAP Devendra Bhatnagar Chintan Bhogayata Chintan Acharya Divya Bhaskar Tushar Basiya Gopi Maniar ghanghar 𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) Dixit Thakrar Kishan Kanteliya Samir Parmar Bhavik Sudra Vivekk Oza Chaitar Vasava AAP Gopal Italia Jigar Thakar Janak Dave NewsCapital Gujarat Svaman Gujarat First Nikunj Janishow more

Yuvrajsinh Jadeja
35,414 Aufrufe • vor 11 Monaten
આજે #બિરસા_મુંડા ભવન ખાતે ડેડીયાપાડા ધારાસભ્ય શ્રી #ચૈતરભાઈ_વસાવા ,... વિદ્યાર્થી નેતા #યુવરાજસિંહ જાડેજા અને અનુસૂચિત જનજાતિ ના સ્કોલરશીપ થી વંચિત વિદ્યાર્થીઓ દ્વારા મુલાકાત કરી રજુઆત કરવામાં આવી. વર્ષ ૨૦૨૨-૨૩ ના વર્ષ ની વિવિધ પ્રોફેસનલ કોર્ષ (આઇટીઆઇ, ડિપ્લોમા, ડિગ્રી, માસ્ટર ડિગ્રી, મેડિકલ વિધ્યા વગેરે...) તથા વિવિધ નોન પ્રોફેસનલ કોર્ષ (બી.એ, બી.કોમ, બી.બી.એ, બીસીએ, વગેરે...) ની વિધાર્થોની પોતાના અધિકારની મળવા પાત્ર #શિષ્યવૃતિ ૧૫ મહિના કરતા પણ વધારે સમય ગાળાથી મળેલ નથી. આવા વિધ્યાર્થીઓની સંખ્યા લગભગ ૮૦% થી પણ વધારે છે. 🔴જેના કારણે સંસ્થાઓ દ્વારા વિધ્યાર્થીઓ પાસેથી ફી ની ઉઘરાણી/માંગણી કરતા ઘણા બધા વિધ્યાર્થીઓ એ પોતાનો અભ્યાસ પણ છોડી દીધેલ છે. 🔴જ્યારે સરકાર અનુસુચિત જન જાતિ વિકાસ અને અભ્યાસ માટે ઘણી બધી જાહેરાત કરે છે. પરંતુ છેલ્લા ૧૫ મહિનાથી વિધ્યાર્થીઓ મળવા પાત્ર શિષ્યવૃતિ થી વંચિત રહેલ છે. 🔴જો આગામી આઠ દિવસ માં વિધ્યાર્થીઓ ની શિષ્યવૃતિ નહીં મળે તો અમે આ ૫૦૦૦ વિધ્યાર્થીઓ દ્વારા અહી બિરસા મુંડા ભવન ખાતે ધરણાં કરશું. જે આપના ધ્યાન માં રહે. 🏮આજે બિરસા મુંડા ભવન ખાતે યુવરાજ સિંહ દ્વારા મુલાકાત કરી હતી. જે બાબતે બિરસા મુંડા ભવન સંદર્ભે અમુક મુદાઓ આપની સક્ષમ રાખું છું... 🔴વર્તન કમિશ્નર ના સમયમાં છેલ્લા 6 મહિનાથી અવ્યવસ્થા ચાલી રહી છે. જેમાં અનેક કાયમી કર્મચારીના પણ પગાર સમયસર નથી થતા. (બે-બે મહિના) તેમજ કોન્ટ્રાક્ટર વાળા કર્મચારીના 4-5 મહિનાના પગાર અટકેલ છે. 🔴વર્ષોથી કોન્ટ્રાક્ટર પર કામ કરતા કર્મચારીઓને છૂટા કર્યા છે. તેમજ અનેક કર્મચારીના કોન્ટ્રાક્ટરની ફાઈલો દબાવી છે (2-3 મહિનાથી) જેમને છૂટા કે હાજર કરવાનો નિર્ણય આપેલ નથી... 🔴ફ્રીશિફ્ટ કાર્ડ માં ૨.૫ લાખ ની જે આવક મર્યાદા રાખવામાં આવેલ છે તે દૂર કરવામાં આવે જેથી ઉંચ અભ્યાસ માં વિદ્યાર્થીને ફાયદો રહે. 🔴ડિજિટલ શિષ્યવૃત્તિમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માં અધિકારીઓ દ્વારા કેરમ ની કૂકરી ની જેમ રમાડવામાં આવે છે. અધિકારીઓ અને કર્મચારીઓ ની પુષ્કળ પ્રમાણમાં ઘટ છે તેનું નિરાકરણ લાવવામાં આવે. Dr. Kuber Dindor Chaitar Vasava AAPshow more

Yuvrajsinh Jadeja
32,434 Aufrufe • vor 2 Jahren
સૌને દેખાય છે, ઘણા પિડાય છે, અનેકોનેક ગભરાય છે.... એ કોણ છે કે આવા વાહનોમા ખુલ્લેઆમ #LawOrderMyFoot કરતા ફરે છે ? ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીએ પહેલીવાર ગુજરાતની મહાન પોલીસને લખવુ પડ્યુ છે !show more

Vivekk Oza
11,024 Aufrufe • vor 7 Monaten